Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

બદલાશે શ્રધ્ધાની ફિલ્મની તારીખ

સુશાંતસિંહ રાજપૂત અન શ્રધ્ધાની ફિલ્મ 'છિછોરે'ની તારીખમાં ફેરબદલ થવાની શકયતા છે અને આની પાછળનું કારણ શ્રધ્ધાની જ ફિલ્મ 'સાહો' હોવાનું કહેવાય છે.  સાહો પહેલા ૧૫મી ઓગષ્ટે રિલીઝ થવાની હતી. પરંતુ એ દિવસે જ અક્ષય કુમારની મિશન મંગલ અને જોન અબ્રાહમની 'બાટલા હાઉસ' રિલીઝ થઇ રહી હોઇ આ બંને ફિલ્મો સાથે ટક્કર ટાળવા સાહોની રિલીઝ તારીખ બદલીને ૩૦ ઓગષ્ટ કરવામાં આવી હતી. પંદરમીએ સાઉથમાં પણ મોટી ફિલ્મો રિલીઝ થતી હોઇ એ કારણે પણ સાહોની તારીખ બદલાવાઇ છે. પરંતુ આ કારણોસર શ્રધ્ધા કપૂર અને સુશાંતસિંહ રાજપૂતની ફિલ્મ છિછોરેની તારીખ બદલાય તેવી શકયતા છે. કારણ કે છિછોરે પણ ૩૦મી ઓગષ્ટે રિલીઝ થવાની છે. જો કે નિર્માતા સાજીદ નડિયાદવાલાએ હજુ તારીખ બદલાવવા બાબતે કોઇ સ્પષ્ટતા કરી નથી. આ ફિલ્મનું નિર્દેશન નિતેશ તિવારીએ કર્યુ છે.

(10:04 am IST)