Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

સંજુમાં સંજય દત્તનું પાત્ર મારે ભજવવું હતું

સુનીલ દત્તનું પાત્ર ઠુકરાવવાનું કારણ જણાવતાં આમિર ખાને કહ્યું...

સંજય દત્તની બાયોપિકમાં આમિર ખાને ટાઈટલ રોલ ભજવવો હતો. રાજકુમાર હીરાણીની 'સંજુ' માં રણબીર કપૂર તેનું પાત્ર ભજવી રહ્યો છે. આ ફિલ્મમાં રાજકુમાર હીરાણીએ સુનીલ દત્તનું પાત્ર આમિરને ઓફર કર્યું હતું, પરંતુ આમિરેએ ઠુકરાવી દીધું હતું અને એ પાત્ર પરેશ રાવલે ભજવ્યું છે.

આ વિશે પૂછતાં આમિરે કહ્યું હતું કે રાજકુમાર હીરાણીએ મને ફિલ્મની સ્ક્રિપ્ટ ઓફર કરી હતી અને મને એ ખૂબ જ પસંદ પડી હતી. હું ઈચ્છતો હતો કે સુનીલ દત્તનું પાત્ર હું ભજવું. આ પાત્ર સારું છે અને ફિલ્મની સ્ક્રિપ્ટ પિતા- પુત્રના રિલેશન પર છે. જોકે સંજુનું પાત્ર ખૂબ જ અદ્દભુત છે. એકટર તરીકે મેં રાજુને કહ્યું હતું કે સંજય દત્તનું પાત્ર એટલું સારું છે કે એણે, મારું દિલ જીતી લીધું છે. આ ફિલ્મમાં હું સંજય દત્તના પાત્ર સિવાય બીજું કોઈ પાત્ર ભજવી શકું એમ નથી. આ પાત્ર રણબીર ભજવી રહ્યો હોવાથી હું ભજવી શકું એમ નથી એથી મને કોઈ ઓફર ન કર.

(4:09 pm IST)