Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

કિસીંગ સીનમાં જરાપણ ખચકાટ નહિ થાયઃ રણદીપ

સોની ટીવી પર પ્રસારિત થઇ રહેલા શો 'યે ઉન દિનો કી બાત હૈ'ના અભિનેતા રણદીપ રાયને પોતાની સહ-કલાકાર સાથે કિસીંગ સિન આપવામાં કોઇ મુશ્કેલી નથી. તેણે કહ્યું હતું કે જો કહાનીની જરૂરિયાત હશે તો હું આવો સિન સરળતાથી આપીશ. ૧૯૯૦ના દસકની પૃષ્ઠભૂમિ પર બનેલા આ શોમાં રણદીપ સમીર નામના એવા છાત્રની ભૂમિકામાં છે જે પોતાના જાદૂથી અનેક મહિલાઓનું દિલ જીતી લે છે. સહકલાકાર આશી સિંહ સાથે રણદીપનો એક કિસીંગ સિન જોવા મળશે એવી ચર્ચા વચ્ચે રણદીપે કહ્યું હતું કે આવું કંઇ જ નથી. પણ હા જો હોય તો મને વાંધો નથી. આ શોમાં નહિ તો બીજા કોઇપણ શોમાં આ કામ કરવામાં મને જરાપણ ખચકાટ નહિ થાય.

(9:38 am IST)