Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

અદિતિ રાવ હૈદરી દાસ દેવ નામની ફિલ્મમાં નજરે પડશે

સુધીર મિશ્રાની ફિલ્મને લઇને આશાવાદી બનીઃ અદિતી રાવ ફિલ્મની રજૂઆત ઘણી વખત ટળતા નિરાશ

મુંબઇ,તા. ૨૩: બોલિવુડમાં અનેક પ્રકારની ભૂમિકા કરીને તમામને પ્રભાવિત કરનાર આશાસ્પદ સ્ટાર અદિતિ રાવ હૈદરી હવે નવી ફિલ્મમાં કામ કરી ચુકી છે. જે હવે રજૂઆત થવા જઇ રહી છે. અદિતી રાવ સપના જોવામાં અને તેને સાકાર કરવામાં વિશ્વાસ રાખે છે. પોતાના સાત વર્ષના કેરિયરમાં અદિતિ રાવ હૈદરીએ લાંબી મંજિલ કાપી છે. સહાયક અભિનેત્રીથી લઇને ફિલ્મોમાં મહત્વપૂર્ણ રોલ અદા કર્યા છે. હાલમાં અદિતિ રાવ  સુધીર મિશ્રાની ફિલ્મ દાસ દેવમાં મોડર્ન ચન્દ્રમુખીની ભૂમિકા અદા કરી રહી છે. ેનુ કહેવુ છે કે ફિલ્મના પ્રમોશનની કામગીરી જોરદાર રીતે ચાલી રહી છે. તેનુ કહેવુ છે કે ફિલ્મનુ શુટિંગ બે વર્ષ પહેલા જ કરી લેવામાં આવ્યુ હતુ. તે સુધીર માટે આ ફિલ્મની રાહ છેલ્લા કેટલાક સમયથી જોઇ રહી હતી. સુધીર હમેંશા શાનદાર ફિલ્મ બનાવે છે. સુધીર વારંવાર ફિલ્મ બનાવતા નથી.

 

 દાસ દેવની રજૂઆતની તારીખ અનેક વખત ટળી ગઇ છે. દરેક વખત ફિલ્મ રજૂ થવાની હોય છે ત્યારે કોઇને કોઇ કારણસર ફિલ્મની રજૂઆત ટળી જાય છે. દરેક વખત  આના માટેના જુદા જુદા કારણો હોય છે. આ વખતે ફિલ્મની રજૂઆત ટળી જવા માટેનુ કારણ એ છે કે ૨૦મી એપ્રિલના દિવસે એક સાથે કેટલીક ફિલ્મો રજૂ થઇ હતી. જેથી તેની રજૂઆતની તારીખ ફરી ટાળી દેવામાં આવી છે. આ ફિલ્મમાં કેટલાક લોકોની મહેનત લાગેલી છે. જેથી ફિલ્મની રજૂઆત ટળે છે ત્યારે દુખ થાય છે. તેમની મહેનત પડદા પર આવતા વિલંબ થઇ રહ્યો છે. ચાંદનીની ભૂમિકા નેગેટિવ છે કે કેમ તે અંગે પુછવામાં આવતા અદિતી રાવે કહ્યુ છે કે આ નેગેટિવ રોલ નથી પરંતુ એવી યુવતિની પટકથા છે જે જેને ખાનગી રીતે કોઇ પણ વ્યક્તિ ઓળખે છે. જો કે જાહેરમાં તેને કોઇ સ્વીકાર કરવા  માટે તૈયાર નથી.

(1:10 pm IST)