Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

મને અભિનય ઉપર જ ધ્યાન રાખવા કહેવાયું'તું: અનુષ્કા

અનુષ્કા શર્માએ બોલીવૂડમાં અભિનય કારકિર્દીમાં સફળતા મેળવ્યા પછી પોતાનું પ્રોડકશન હાઉસ પણ શરૂ કરી દીધું છે. તેણે હોમ પ્રોડકશનમાંથી અનેક સફળ ફિલ્મો, સિરીઝ આપ્યા છે. એનએચ-૧૦, ફિલ્લોરી, પરી, બુલબુલ, પાતાલલોક જેવા પ્રોજેકટથી અનુષ્કા સફળ નિર્માત્રી પણ સાબિત થઇ ચુકી છે. અનુષ્કા કહે છે મેં જ્યારે નિર્માણ કાર્ય ચાલુ કર્યુ ત્યારે મને કહેવાયું હતું કે મારે માત્ર અભિનય ઉપર જ ધ્યાન કેન્દ્રીત કરવું જોઇએ, પ્રોડકશન ફિલ્ડમાં જઇને ધ્યાન ભટકાવવું જોઇએ નહિ. પરંતુ મેં જે ફિલ્મો આપી છે તેના વગર હું મારી કલ્પના પણ કરી શકતી નથી. એક સમયે નિર્માતાનું શું કામ હોય છે તેની મને ખબર પણ હોતી નથી. એનએચ-૧૦થી મારી નિર્માત્રી તરીકેની સફર શરૂ થઇ હતી. મારા આ કામમાં મારો ભાઇ કર્ણેશ પણ મારો સારો સાથીદાર છે.  ભાઇએ સતત મને સહકાર આપ્યો છે. નિમાત્રી તરીકે કામ શરૂ કર્યુ ત્યારે હું પચ્ચીસ વર્ષની હતી. ઇન્ડસ્ટ્રીનું ચલણ બદલવા મારા માટે આ કદમ યોગ્ય હતું.

(10:03 am IST)