Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

અર્જુન કપૂરને સોન્ગ 'મન મેં શિવા'નું ટીઝર કર્યું લોન્ચ

મુંબઈ: અર્જુન કપૂરની આગામી ફિલ્મ 'પાણીપત' અને 'મર્દ મરાઠા' ગીતનું જોરદાર ટ્રેલર રિલીઝ કર્યા પછી, નિર્માતાઓએ શુક્રવારે તેના બીજા ગીતનું ટીઝર રિલીઝ કર્યું. ગીતનું શીર્ષક 'મન મેં શિવા' છે. અર્જુન કપૂરે તેના સોશ્યલ મીડિયા પર આ ગીતનું ટીઝર શેર કર્યું છે. તેમણે ક પ્શન કર્યું હતું, 'ભગવાન શિવ, છત્રપતિ શિવાજી મહારાજ અને સદાશિવ રાવ ભાઉનું સંઘ. ફિલ્મની વાર્તા મરાઠાઓ અને અફઘાનિસ્તાનના સુલતાન અહેમદ શાહ અબ્દાલી વચ્ચેની 14 જાન્યુઆરી, 1761 ના રોજ પાણીપતની ત્રીજી લડાઇ પર આધારિત છે, આ યુદ્ધ પાણીપતમાં થયું હતું. ફિલ્મમાં સંજય દત્ત ઉપરાંત અર્જુન કપૂર અને કૃતિ સનન, ઝીનત અમન, પદ્મિની કોલ્હાપુરે, સુહાસિની મૂલે, મીર સરવર, નવાબ શાહ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા જોવા મળશે.

(4:39 pm IST)