Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

કરણ જોહરે અર્જુન કપુરને પ્રશ્ન પુછતા જ જવાબ આપી દીધો હું મારી બહેન સાથે બેઠો છું

મુંબઇઃ શ્રી દેવીના નિધન બાદ અર્જુન કપુરનું તેની સાવકી બહેનો જહાન્વી અને ખુશી કપુર સાથે સારૂ બોન્ડીંગ થઇ ગયું છે. અર્જુન મોટા ભાઇની જેમ તેની બહેનોનો ખ્યાલ રાખે છે અને તેમની સાથે મસ્તી પણ કરે છે. હાલમાં જ જહાન્વી કપુર અને અર્જુન કપુર કોફી વિથ કરણમાં સાથે પહોંચ્યા હતા. આવામાં કરણે અર્જુનને એવો સવાલ પુછી લીધો કે તે શરમથી લાલ થઇ ગયો હતો.

અર્જુન અને જહાન્વીનો આ એપીસોડ હજુ સુધી ટેલીકાસ્ટ નથી થયો પરંતુ આ એપીસોડનો એક પ્રોમો સોશ્યલ મીડીયા પર વાઇરલ થયો છે.સ્ટાર વર્લ્ડે આ પ્રોમો ટવીટર પર શેર કર્યો છે. આ વીડીયોમાં કરણ જોહરે અર્જુન કપુરને એવો સવાલ કર્યો જેના બાદ અર્જુન જવાબ ટાળવા આડુ અવળુ જોવા માંડયો હતો. જયારે કરણે અર્જુનને સેકસ લાઇફ સાથે જોડાયેલો સવાલ પુછયો તો અર્જુને જવાબ આપ્યો કે હું મારી બહેન સાથે બેઠો છું.

અર્જુનના આ જવાબ પર જહાન્વી જોરથી હસવા માંડીહતી. શુટ બાદ અર્જુને જણાવ્યું કે આ શોમાં જહાન્વી સાથે આવવું તેના માટે એક સરસાઇઝ હતી. ગઇ વખતે તે જયારે આવ્યો ત્યારે બીજા અનેક મહેમાન હતા. જહાન્વી સાથે તેને સારો સમય વીતાવવાનો મોકો મળ્યો.

શો દરમિયાન અર્જુને તેની આગામી ફિલ્મો અંગે પણ વાત કરી. ઉલ્લેખનીય છે કે તે છેલ્લે પરીણીતી સાથે નમસ્તે ઇંગ્લેન્ડ ફિલ્મમાં જોવા મળ્યો હતો અને આ ફિલ્મ ફલોપ રહી હતી. અર્જુન આજકાલ મલાઇકા અરોરા સાથે રીલેશનશીપને લઇને ચર્ચામાં છે.

જહાન્વીએ ઇશાન ખટ્ટર સાથે ધડક ફિલ્મથી બોલીવુડમાં એન્ટ્રી મારી હતી. હવે તે કરણ જોહરની ફિલ્મ તખ્તમાં જોવા મળશે. આ મલ્ટી સ્ટારર ફિલ્મમાં જહાન્વી ઉપરાંત બીજા અનેક લોકો છે.

(6:20 pm IST)