Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

નવરાત્રી આ રીતે ઉજવી રહી છે નિલુ, ઋષિના અને રતિ

નવરાત્રીની પણ આ વખતે સોૈને ઘરમાં રહીને ઉજવણી કરવાની છે. મા દુર્ગાની ભકિતના આ પર્વની સોૈ પોતાની રીતે ઉજવણી કરી રહ્યા છે. આ સમયે ટીવી શો એ મેરે હમસફરના અભિનેત્રી નિલુ વાઘેલા (પ્રતિભા દેવી) કહે છે હું નવરાત્રીમાં મારા ઘરે અખંડ દિવો પ્રકટાવી રાખુ છું. નવ દિવસ સુધી આ દિવો ચાલુ રહે છે. છેલ્લે નવ દિકરીઓને ઘરે બોલાવી તેને ઉપહાર આપુ છું. માતાજીના આશીર્વાદ પામવા આ હું દર વર્ષે કરુ છું. આ શોમાં ઇમરતી કોઠારીનો રોલ નિભાવતી ઋષીકા કંધારીએ પણ કહ્યું હતું કે મારી મા આમ તો નવરાત્રીની અગાઉથી તૈયારી કરે છે. પરંતુ આ વર્ષે વાયરસને ધ્યાને લઇ દિકરીઓને અમે ઘરે નહિ બોલાવીએ. માતાજી ઝડપથી મહામારીમાંથી સોૈને મુકત કરે તેવી હું પ્રાર્થના કરુ છું. દેવી આદિશકિત શોમાં મા પાર્વતિનો રોલ નિભાવતી રતિ પાંડેએ કહ્યું હતું કે આમ તો હું ભુખી રહી શકતી નથી. પરંતુ કેટલીક દેવી શકિત છે જેના કારણે હું નવરાત્રીના નવ દિવસ ઉપવાસ રાખુ છું. મને લાગે છે કે દૂર્ગામાએ જ મારી કારકિર્દીને શરૂ કરાવી છે. હું આ વર્ષે ઘરમાં રહી પૂજા કરી રહી છું.

(10:13 am IST)