Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

સકારાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે પોતાનું પ્લેટફોર્મ શરૂ કરી રહી છે અભિનેત્રી જૈકલીન ફર્નાન્ડીઝ

મુંબઇ: જૈકલીન ફર્નાડીઝે પોતાની યૂટ્યૂબ ચેનલને લોન્ચ કરવાનું કારણ શેર કરતાં કહ્યું કે ''સકારાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે પોતાનું પ્લેટફોર્મ શરૂ કરી રહી છે.'' બોલીવુડની સૌથી પ્રભાવશાળી હસ્તીઓમાંથી એક જૈકલીન ફર્નાંડીઝ, જે ના ફક્ત પોતાની કમર્શિયલ સફળ ફિલ્મો માટે પ્રશંસિત નામ છે, પરંતુ બ્રેંડ સર્કિટમાંથી એક મોટું નામ છે. તાજેતરમાં જ ઇંસ્ટાગ્રામ પર 30 મિલિયન ફોલોવર્સના આંકડાને પાર કર્યા બાદ હવે જૈકલીન ફર્નાંડીઝ પોતાની યૂટ્યૂબ ચેનલને લોન્ચ કરી રહી છે.

જૈકલીન ફર્નાંડીઝે પોતાની યૂટ્યૂબ ચેનલ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે આની પાછળ છુપાયેલ આઇડીયા અને તેમાં પ્રશંસકો માટે શું ખાસ છે, તેના વિશે વાત કરી છે, પોતાની યૂટ્યૂબ ચેનલ વિશે વાત કરતાં જૈકલીન ફર્નાંડીઝ કહે છે કે ''તેની પાછળ સકારાત્મકને પ્રોત્સાહન આપવા માટે પોતાનું એક મંચ બનાવવાનો આઇડીયા છે. હું લોકોની સાથે એ પણ શેર કરીશ કે બોલીવુડમાં એક કોમર્શિયલ અભિનેત્રી હોવા પર કેવું લાગે છે અને તેના માટે શું-શું કરવું પડે છે. મેં જે પણ શીખ્યું છે અને જે પણ શીખી રહી છું, આ બધુ હું મારી ચેનલ દ્વારા તેની સાથે શેર કરીશ.''

જૈકલીન ફર્નાંડીઝ જેનું સોશિયલ મીડિયા મોટાભાગે બ્યૂટી ટિપ્સથી ભરેલું રહે છે, તે પોતાના યૂટ્યૂબ ચેનલમાં આ બધાને કવર કરશે, જેના વિશે અભિનેત્રીએ શેર કર્યું, ''મારા જીવનથી બધું અહીં જોવા મળશે. જે દિવસે શરૂ કરીશ, હું મારો ટ્રાવેલ એડવેંચર બ્લોગ કરીશ, તે વિશેષજ્ઞોને કવર કરીશ, જેને હું મારા ક્ષેત્રમાં મળુ છું; ખાસકરીને ફિટનેસ અને સુંદરતા, કારણ કે મારા જીવન અને ઇંડસ્ટ્રીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ લોકોને પ્રેરિત કરવામાં મદદ કરશે.''

જૈકલીને યૂટ્યૂબ ચેનલ વિશે રસપ્રદ વાત એ છે કે અભિનેત્રી ના ફક્ત સુંદર અને ફેશનને કવર કરશે પરંતુ ખુશ રહેવા, ડર પર કાબૂ મેળવવા, પોતાના સપનાને જીવે, ટ્રાવેલ અને ફિટનેસ જેવી વસ્તુઓથી પણ કવર કરશે. સોશિયલ મીડિયા ઇંફ્લુએન્સર હોવાનું કારણ, અભિનેત્રી પોતાના લેબલનો ઉપયોગ ખૂબ સમજદારીથી કરે છે અને તેમણે વનસ્પતિઓ, જીવો અને લોકોની સંકટપૂર્ણ સ્થિતિઓ વિશે જાગૃતતા વધારી છે, જેના વિશે જૈકલીન ફર્નાંડીજે પોતાના સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કરી છે.

(5:35 pm IST)