Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

દિવ્યાંકા ત્રિપાઠીને ઓફર થયો હતો 'તારક મેહતા...'માં દયાબેનનો રોલ?

મુંબઇ, તા.૨૩: ટીવી એકટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી આ દિવસોમાં રિયાલિટી શો 'ખતરો કે ખિલાડી'ની સિઝન ૧૧ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ સમયે શોની શૂટિંગ દક્ષિણ આફ્રીકાનાં કેપ ટાઉન માં ચાલી રહ્યું છે. દિવ્યાંકા ત્રિપાઠી ટીવનો જાણીતો ચહેરો છે. તેણે હાલમાં જ 'યે હૈ મોહબ્બતે' સીરીયલમાં જોવા મળી હતી. આ વચ્ચે એકટ્રેસ અંગે મોટી માહિતી સામે આવી છે. શું આપ જાણો છો કે, દિવ્યાંકાને શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનનો રોલ તેને ઓફર થયો હતો પણ દિવ્યાંકાએ આ શો કરવાની ના પાડી દીધી હતી.

ટીવીનાં સૌથી ચર્ચિત શો 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'માં દયાબેનનો રોલ દિવ્યાંકા ત્રિપાઠીને ઓફર થયો હતો પણ તેણે આ રોલ અદા કરવાની ના પાડી હતી. જોકે, દિવ્યાંકાએ આ ખબર પર જરાં કોઇ રિએકશન આપ્યું નથી. તેથી હવે આ ખબરમાં કેટલી સચ્ચાઇ છે તે તો દિવ્યાંકા જ જણાવી શકે છે.

દયાબેનનો રોલ અદા કરનારી દિશા વાકાણી બીજી વખત શોમાં વાપસી કરશે. કે નહીં, તે અંગે દ્યણી ચર્ચાઓ થઇ રહી છે. ખરેખરમાં દિશાએ ૨૦૧૭માં મેટરનિટી લિવ માટે શોમાંથી બ્રેક લીધો હતો. જે બાદ તે શોમાં પરત આવી નથી. હે મા માતાજી અને ટપ્પૂ કે પાપા.. જેવાં ડાઇલોગ્સને અનોખી રીતે બોલી દર્શકોનું મનોરંજન કરનારી દિશાનાં ફેન્સ તેને મીસ કરે છે.

તો બીજી તરફ ટીવીની પ્રખ્યાત બહુ દિવ્યાંકા ત્રિપાઠી અને ટીવીની બહૂ દિવ્યાંકા ત્રિપાઠી કેપટાઉનમાં ખુબજ મસ્તી કરી રહી છે. અવાર નવાર દિવ્યાંકા સોશિયલ મીડિયા પર ફેન્સની સાથે તેની તસવીર શેર કરતી રહે છે.

હાલમાં 'ખતરો કે ખેલાડી ૧૧' નો પ્રોમો રિલીઝ થયો છે. પ્રોમોમાં દિવ્યાંકા ત્રિપાઠી મગર ખોળામાં લઇને બેઠેલી નજર આવે છે. એટલું જ નહીં દિવ્યાંકા ત્રિપાઠીને સુવડાવવા લોરી સંભળાવી રહી છે. દિવ્યાંકા ત્રિપાઠીની દિલેરી જોઇ બાકીનાં સ્પર્ધકોની હાલત ખરાબ થઇ ગઇ છે.

(12:55 pm IST)