Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

રણબીર વધારે પ્રોટેક્ટિવ અને સમજનારો વ્યક્તિ છે :બંનેની રિલેશનશીપ પર આલિયાએ તોડ્યું મૌન..કહી દીધું ચોખ્ખુંચટ્ટ

 

મુંબઈ ;ફિલ્મ અભિનેત્રી આલિયા ભટ્ટ છેલ્લા કેટલાક દિવસોથી રણબીરકપૂર્ સાથે રિલેશનશિપને કારણે ચર્ચામાં છે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે તેવી પણ વાતો થઈ રહી હતી. જોકે બંનેએ પોતાની રિલેશનશીપની ખબરો પર મૌન જાળવી રાખ્યું છે ત્યારે આલિયાએ રણબીર સાથે પોતાના સંબંધની અફવા પર મૌન તોડ્યું છે

  આલિયા અને રણબીર હાલમાં ફિલ્મબ્રહ્માસ્ત્રનું શૂટિંગ કરી રહ્યા છે. એક ન્યૂઝ પેપર સાથે વાતચીતમાં ઈન્ટરવ્યૂ દરમિયાન આલિયાને જ્યારે રણબીર કપૂરને વિશે સવાલ પૂછવામાં આવ્યો કે કામને ધ્યાનમાં રાખતા તેને રણબીરની કઈ વાત સૌથી સારી લાગે છે.

  આલિયાએ કહ્યું, તેની સાથે કામ કરવાનું ખૂબ સારું લાગી રહ્યું છે. બિલકુલ એવું છે જેવું મેં વિચાર્યું હતું. મને હંમેશાથી જાણ હતી કે રણબીર ખૂબ સારો એક્ટર છે. તે એક સારા એક્ટરની સાથે સારો વ્યક્તિ પણ છે. હું ઘણીવાર તેને જોઈને શોક થઈ જાઉં છું જેવી રીતે તે મજાક કરે છે. તેનો મતબલ એવો નથી થતો કે તે કોઈને નીચા બતાવી રહ્યો છે. તે વધારે પ્રોટેક્ટિવ અને સમજનારો વ્યક્તિ છે. અને પછી કેટલીક ખામીઓ તો દરેક વ્યક્તિમાં હોય છે. તે હંમેશાથી આવા અંદાજમાં જીવે છે કે બધુ મેનેજ થઈ જાય, મેં તેમની પાસેથી ઘણુ શીખ્યું છે.

  આલિયાને જ્યારે સવાલ પૂછવામાં આવ્યો કે તમારા બંનેના રિલેશનશીપની અફવા છે. જેના પર હાઈવે એક્ટ્રેસે કહ્યું, સચ્ચાઈ મને વધારે પ્રભાવિત કરતી નથી એવી રીતે જૂઠથી પણ મને કોઈ ફરક પડતો નથી. કારણ કે તેમાં કોઈ સચ્ચાઈ હોતી નથી. મને તેની કોઈ ચિંતા નથી. લિંકઅપની ખબરના કારણે મારા કોઈની સાથે સંબંધ પર ફરક પડતો નથી. અમને આવી વસ્તુની આદત થઈ ગઈ છે કારણ કે અમારી જિંદગીનો હિસ્સો બની ગયો છે. તમારા વિશે ઘણા બધા લોકો પ્રકારની વાત કરે છે પરંતુ તેનાથી પ્રભાવિત થવું જોઈએ.

  આલિયાને જ્યારે લગ્ન બાદ કરિયર વિશે શું વિચારે છે તે સવાલ પૂછતા કહ્યું, લગ્ન બાદ અનુષ્કા શર્મા અને સોનમ કપૂર આહૂજાને કામ મળી રહ્યું છે અને તે હજુ પણ સ્ટાર છે તો મને નથી લાગતું કે લગ્ન બાદ એક્ટ્રેસના કરિયર પર વધારે ફરક પડે છે.

(11:58 pm IST)