Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

અનિતાએ મુંબઇમાં લીધું નવું ઘર

ખુબ જ પસંદ કરવામાં આવી રહેલા ટીવી શો યે હૈ મહોબ્બતેમાં શગૂનનો રોલ નિભાવી રહેલી અભિનેત્રી અનિતા હસનંદાનીએ મુંબઇમાં નવું ઘર ખરીદી લીધુ છે. અનિતાએ આ ઘરમાં પ્રવેશ વખતે ગણેશ પૂજન કરાવ્યું હતું. આ પ્રસંગે તેના પતિ રોહિત રેડ્ડી અને સાસુ-સસરા તથા અન્ય સગાઓ સામેલ હતાં. અનિતાએ નવા એપાર્ટમેન્ટની કેટલીક તસ્વીરો સોશિયલ મિડીયા પર પોસ્ટ કરી હતી. જેમાં બાલ્કની અને ટેરેસનો મોટો ભાગ જોવા મળી રહ્યો છે. અનિતાનું આ નવું ઘર તેના માતાના ઘરની નજીકમાં જ છે. અનિતા અને રોહિત જીમમાં સાથે વર્કઆઉટ કરતાં હતાં. એ વખતે બંને વચ્ચે દોસ્તી થઇ હતી અને બાદમાં બંનેએ સાથે પાર્ટીઓમાં જવાનું શરૂ કર્યુ હતું. ૨૦૧૩માં લગ્ન કરી લીધા હતાં. રોહિતનો મોટા ભાગનો બિઝનેસ ગોવામાં ફેલાયેલો છે. અનિતા એકતાના શો નાગિન-૩માં જોવા મળશે.

(9:46 am IST)