Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

બોક્સ ઓફિસ પર ટક્કર લેશે ઋત્વિક અને નવાજુદ્દીન

મુંબઈ: બોલીવુડના માચો મેન ઋત્વિક રોશન અને સાદગીભર્યા ભર્યા અભિનયથી દર્શકોના દિલમાં જગ્યા બનાવનાર નવાજુદ્દીન સીદીકી બોક્સ ઓફિસ પર ટક્કર લેવાના છે. નવાજુદ્દીન સિદ્દીકી તાજેતરમાં શિવસેનાના સંસ્થાપક સ્વ.બાલા સાહેબ ઠાકરેની બાયોપિકમાં કામ કરે છે. બાલા સાહેબ ઠાકરે પર બનનાર આ ફિલ્મને લઈને દર્શકોમાં ઉત્સુકતા વધુ જોવા મળી રહી છે. 25 માર્ચથી આ ફિલ્મ ફ્લોર પર જવાની છે જયારે ફિલ્મની રિલીઝ તારીખ  પણ જાહેર કરી દેવામાં આવી છે. આ ફિલ્મ 23 જાન્યુઆરી 2019ના રિલીઝ થવાની છે. વિકાસ બહલના નિર્દેશનમાં 'સુપર-30'ના સંસ્થાપક આનંદ કુમાર પર ફિલ્મ બની રહી છે. આ ફિલ્મ ગણિતગય અને પ્રોફેસર આનંદ કુમારના જીવન પર આધારિત છે. ફિલ્મની સ્ક્રિપ્ટ મૂળ આનંદ કુમાર અને તેના સુપર 30 સ્ટુડન્ટ પર આધારિત છે. ઋત્વિક રોશન આ ફિલ્મમાં આનંદ કુમારનું પાત્ર ભજવે છે. આ ફિલ્મ પણ 23 જાન્યુઆરી 2019ના રિલીઝ થવાની છે. એટલે કે 2019ની શરૂઆત ઋત્વિક રોશન અને નવાજુદ્દીનની ટક્કરથી થશે. ખાસ વાત તો એ છે કે આ બન્ને ફિલ્મો બાયોપિક છે.

 

 

(3:51 pm IST)