Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

સંજય દત્ત પરની ફિલ્મ સંજુ ૨૯મી જુને રજૂ કરવા તૈયારી

રણબીરની ભૂમિકાથી તમામ સાથી પ્રભાવિત : સંજુ ફિલ્મમાં રણબીર કપુરે બધી કુશળતા પુરવાર કરી

મુંબઇ,તા. ૨૩ : સંજય દત્તની લાઇફ પર બનેલી ફિલ્મ સંજુ ૨૯મી જુનના દિવસે રજૂ કરવામાં આવનાર છે. આને લઇને તમામ તૈયારી કરવામાં આવી રહી છે. રણબીર કપુરે ફિલ્મમાં તમામ કુશળતા પાત્રને ન્યાય આપવા દર્શાવી છે.  ફિલ્મના સાથી કલાકારો પણ ખુબ પ્રભાવિત રણબીરથી રહ્યા છે. આ સંબંધમાં  લોકપ્રિય અભિનેત્રી અને હાલમાં ફિલ્મ નિર્માણના ક્ષેત્રમાં કુદી પડેલી ખુબસુરત દિયા મિર્ઝાએ કહ્યુ છે કે બોલિવુડના વિતેલા વર્ષોના અભિનેતા સંજય દત્તની બાયોપિક ફિલ્મ સંજુમાં કામ કર્યા બાદ યુવા પેઢીના લોકપ્રિય સ્ટાર રણબીર કપુરની લોકપ્રિયતા અનેક ગણી વધી જશે. દિયા માને છે કે રણબીરની લોકપ્રિયતા દસ ગણી વધી જશે. રાજકુમાર હિરાની દ્વારા હાલમાં સંજય દત્તની બાયોપિક ફિલ્મ બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મમાં સંજય દત્તની ભૂમિકા રણબીર કપુર દ્વારા અદા કરવામાં આવી રહી છે.

 ફિલ્મમાં બે ત્રણ અભિનેત્રી કામ કરી રહી છે. જેમાં દિયા મિર્જા, સોનમ કપુર અને અનુષ્કા શર્માનો સમાવેશ થાય છે. ફિલ્મ હાલના કાર્યક્રમ મુજબ ૨૯મી જુનના દિવસે રજૂ કરવાની યોજના છે. દિયા પોતે ફિલ્મને લઇને આશાવાદી છે. તે સંજયદત્તની પત્નિ માન્યતાની ભૂમિકામાં નજરે પડનાર છે.  દિયાએ રણબીરની પ્રશંસા કરતા કહ્યુ છે કે તે શાનદાર અભિનેતા તરીકે છે. તે કોઇ પણ એક્ટિંગ કરી શકે છે. તેને લઇને કોઇ બે મત નથી. તેની સાથે કામ કરવાથી ઘણુ જાણવા મળ્યુ છે. તે ખુબ કુશળ અને શાનદાર અભિનેતા છે. ફિલ્મમાં સંજય દત્તની પત્નિ માન્યતાની ભૂમિકા અદા કરી રહેલી દિયા મિર્જાએ કહ્યુ છે કે ફિલ્મ ખુબ શાનદાર રહેનાર છે. તેનુ કહેવુ છે કે રણબીર કપુરમાં તમામ કુશળતા રહેલી છે.

(12:59 pm IST)