Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

ફિલ્મ પાણીપત માટે કાયાકલ્પ કરી રહ્યો અર્જુન કપૂર

મુંબઈ: હોનહાર અભિનેતા અર્જુન કપૂર પોતાની આગામી ઐતિહાસિક ફિલ્મ પાણીપત માટે કાયાકલ્પ કરી રહ્યો હોવાની માહિતી મળી હતી. સખત વર્ક આઉટ અને ડાયેટિંગ દ્વારા પહેલાં એણે વજન ઘટાડયું હતું અને હવે એ ખાસ વર્ક આઉટ દ્વારા શરીરને સ્નાયુબદ્ધ બનાવી રહ્યો છે એવી માહિતી એની નિકટનાં સૂત્રોએ આપી હતી.પાણીપતમાં અર્જુન મરાઠા સેનાપતિ સદાશિવ રાવ ભાઉનો રોલ કરી રહ્યો છે. એણે સોશ્યલ મિડિયા પર પોતે જિમમાં વર્ક આઉટ કરી રહ્યો છે એવો એક ફોટોગ્રાફ શૅર કર્યો હતો જેમાં એ બેક ટ્રેક એક્સેસાઇઝ દ્વારા સ્નાયુ ફૂલાવી રહ્યો હોવાનું જોઇ શકાતું હતું. એણે લખ્યું હતું કે હું પાણીપતની પૂર્વતૈયારી રૃપે મારી કાયાને સજ્જ કરી રહ્યો છું.આશુતોષ અગાઉ લગાન, જોધા અકબર અને મોહેં જો દારો જેવી ફિલ્મો આપી ચૂક્યો છે. મોહેં જો દારો સિવાયની બંને ફિલ્મો સુપરહિટ સાબિત થઇ હતી. આ ફિલ્મમાં મરાઠા સૈન્ય અને આક્રમણખોર અહમદશાહ અબ્દાલી વચ્ચે થયેલી પાણીપતની લડાઇની વાત રજૂ થનાર છે.

(5:32 pm IST)