Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

પધ્માવતની સફળતાની મધદરિયાની પાર્ટી કેન્સલ

મુંબઇ: ફિલ્મ સર્જક સંજય લીલા ભણસાલીની તાજેતરમાં સુપરહિટ નીવડેલી ફિલ્મ પદ્માવતની સફળતાને ઊજવવા યોજાએલી પાર્ટી રદ થઇ હોવાની માહિતી મળી હતી. પદ્માવતના નિર્માતાઓ વાયાકોમ ૧૮ મોશન પિક્ચર્સે મુંબઇના દરિયામાં એક લક્ઝરી શીપ પર ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં બોલિવૂડના વ્હૂ ઇઝ વ્હૂને સૌને નિમંત્રવાના હતા. આવતી કાલે ૨૪ ફેબુ્રઆરીએ સંજય લીલા ભણસાલીનો બર્થ ડે છે એટલે પદ્માવતની સફળતા અને ભણસાલીનો બર્થ ડે બંનેની જોરદાર ઊજવણી કરવાની નિર્માતા કંપનીની યોજના હતી. પરંતુ સંજય લીલા ભણસાલીએ એવી સ્પષ્ટતા કરી હતી કે મને દરિયો માફક આવતો નથી એટલે નિર્માતાને આ પાર્ટી કેન્સલ કરવાની ફરજ પડી હતી એવું જાણવા મળ્યું હતું. વાયાકોમ ૧૮ મોશન પિક્ચર્સે તો કેટલાય વીઆઇપીઓને આમંત્રણ મોકલી આપ્યા હતા પરંતુ સંજયે પોતાને દરિયામાં તબિયત બગડી જતી હોવાનું કહેતાં છેલ્લી ઘડીએ પાર્ટી રદ કરી હોવાની જાહેરાત કરવામાં આવી હતી.

(5:22 pm IST)