Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

પ્રિયંકા ચોપરા ૪૫ વર્ષ પછી રાજકારણમા રસ દાખવશેઃ ૧૩ વર્ષ પહેલા લગ્નની આગાહી કરનાર જયોતિષનો મત

બોલિવુડ સુપરસ્ટાર પ્રિયંકા ચોપરા બીજી ડિસેમ્બરે લગ્નના બંધનમાં બંધાઈ જશે. તેના ભવ્ય લગ્ન જોધપુરના વિશાળ ઉમેદ ભવનમાં યોજાવાના છે. એક્ટ્રેસ બોયફ્રેન્ડ અને ઈન્ટરનેશનલ સિંગર નિક જોનાસ સાથે લગ્ન કરવાની છે અને આખી દુનિયા આ લગ્નની કાગડોળે રાહ જોઈ રહી છે.

અનુષ્કા શર્મા, સોનમ કપૂર અને દીપિકાના ગ્રાન્ડ વેડિંગ બાદ હવે પ્રિયંકા વર્ષના છેલ્લા મહિનામાં ધામધૂમથી લગ્ન કરવા જઈ રહી છે. પ્રિયંકા આટલા જલ્દી લગ્ન કરશે તેવી કોઈએ આશા રાખી નહતી. પરંતુ એક જ્યોતિષે 13 વર્ષ પહેલા પ્રિયંકાના લગ્નની સચોટ ભવિષ્યવાણી કરી હતી.

ફિલ્મફેરમાં 2005માં એક આર્ટિકલ પબ્લિશ થયો હતો. તેમાં પ્રિયંકા ચોપરા અંગે આગાહી હતી. તેમાં જણાવાયુ હતુ કે દેસી ગર્લ 36 વર્ષની થશે ત્યારે તેના લગ્ન થઈ જશે. અત્યારે પ્રિયંકા બરાબર 36 વર્ષની છે.

આ આગાહી જાણીતા એસ્ટ્રો-ન્યુમેરોલોજિસ્ટ સંજય બી જુમાનીએ કરી હતી. અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઑફ ઈન્ડિયા સાથે વાત કરતા જુમાનીએ કહ્યું હતું કે, 9 અંકના લોકોનો સ્વામી મંગળ છે જે તેમને નેતૃત્વના ગુણ આપે છે. આ લોકો બીજા નંબર પર રહી જ નથી શકતા. પ્રિયંકા નિક પર પોતાનું પ્રભુત્વ રાખશે. આ નંબરના લોકો ફાઈટર્સ હોય છે અને તેમને સત્તા સ્થાને રહેવુ ગમતુ હોય છે. મેં એમ પણ કહ્યું હતું કે પ્રિયંકા 45મા વર્ષ પછી રાજકારણમાં રસ દાખવશે.

જુમાનીએ સમજાવ્યું હતું કે 9 નંબર પ્રિયંકા માટે ખાસ્સો લકી રહ્યો છે. પ્રિયંકાને મિસ વર્લ્ડનો તાજ મળ્યો ત્યારે તે 18 વર્ષ (9) ની હતી. તેણે ફેશન અને દોસ્તાના કરી ત્યારે તે 27 વર્ષ (9)ની હતી અને ત્યારે તે એક્ટર્સના લિસ્ટમાં ટોચના સ્થાને હતી.

(5:15 pm IST)