Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'શોને દયાભાભીએ કહી દીધું બાય...બાય

મુંબઈ: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનાં ફેન્સ માટે એક ખરાબ સચામાર આવ્યાં છે. છેલ્લા ઘણા સમયથી શોમાં દિશા વાકાણી આવશે કે નહીં આવે એને લઈને ખબરો આવતી હતી. પરંતુ હવે તાજા મીડિયા રિપોર્ટ આવ્યાં છે કે દિશા શોમાં વાપસી નહીં કરે અને નવા દયા ભાભીને લઈને ઓડિશન પણ શરૂ કરી દેવામાં આવ્યાં છે.પ્રાપ્ત માહિતી પ્રમાણે દિશા વાકાણીની વાપસી પર હવે પુર્ણ વિરામ લાગી ચૂક્યું છે. રિપોર્ટમાં એવો દાવો કરવામા આવે છે કે દિશા શોમાં નહી આવે અને એવું કહેવાયું છે કે શો મેકર અને દિશા વચ્ચે વાત નથી બની. જો કે શોનાં મેકરે હજુ દિશા બાબતે કોઈ ખુલાસો નથી કર્યો. 2017માં જ્યારે મેટરનિટી લીવ પર દિશા ઘરે ગઈ ત્યારથી જ દિશા શોમાં પરત ફરવા નહોતી માંગતી. કારણ કે દિશાના પતિની ઈચ્છા હતી કે તે બાળક પર ધ્યાન કેન્દ્રિત કરે. તો વળી કોઈ દ્વારા એવા પણ ખુલાસા થયા છે કે દિશાએ શો મેકર સામે બીજી પણ કેટલીક શરતો રાખી કે જે શો મેકરને મંજુર નહોતી. હવે જોવાનું એ રહ્યું કે નવા દયા બેન પર લોકોની શું ટીકા ટિપ્પણી છે.

(5:18 pm IST)