Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

તબિયત ખરાબ થતા આઈફા એવોર્ડમાં પર્ફોમ નહીં કરે અર્જુન કપૂર

મુંબઇ: બેંગકોકમાં શરૃ થઇ રહેલા આઇફા એવોર્ડ સમારોહમાં અભિનેતા અર્જુન કપૂર નહીં જઇ શકે એવી જાણકારી મળી હતી. અત્યાર અગાઉ શાહિદ કપૂરે પોતાની પીઠની પીડાને ધ્યાનમાં રાખીને જાહેર કર્યું હતું કે એ આઇફા એવોર્ડ સમારોહમાં સહભાગી નહીં થઇ શકે. બત્તી ગુલ મીટર ચાલુના શૂટિંગમાં એની પીઠમાં ઇજા થઇ હતી અને ડૉક્ટરોએ આરામ કરવાની સલાહ આપી હતી એે અવગણીને એણે મુંબઇ પાછાં ફરતાંજ આઇફા ડાન્સ રિહર્સલ્સમાં હાજરી આપતાં એની પીડા વકરી હતી અને એણે ન છૂટકે બેંગકોક જવાનો નિર્ણ? પડતો મૂક્યો હતો. હવે અર્જુન કપૂરે પણ બેંગકોક જવાનો નિર્ણય પડતો મૂક્યો હોવાની માહિતી મળી હતી. અર્જુનની પણ તબિયત સારી નથી એવું એની નિકટનાં સૂત્રોએ કહ્યું હતું. અર્જુને ટ્વીટર પર લખ્યું હતું કે મને બીમાર પડવાનું ગમતું નથી... ઝડપભેર સાજો થઇને આઇફામાં પર્ફોર્મ કરી શકું એવી આશા રાખું છું... મારે પૂરતો આરામ કરીને સાજા થઇ જવું છે અને શક્ય બને તો આઇફામાં હાજરી આપીને મારી આઇટમ પેશ કરવી છે... અત્યાર અગાઉ કાર્તિક આર્યનને પણ શાહિદની જેમ ઇજા થઇ હતી અને એણે આઇફામાં નહીં જવાની વાત કરી હતી. જો કે આઇફાના સમયપત્રકમાં કાર્તિક આર્યનની આઇટમનો ઉલ્લેખ છે એટલે કદાચ કાર્તિક સાજો થઇ ગયો હશે અને હાજરી આપી શકે એમ હશે. આ એવોર્ડ સમારોહ ત્રણ દિવસ ચાલવાનો છે અને એમાં શાહિદ કપૂર, રણબીર કપૂર, શ્રદ્ધા કપૂર, અર્જુન કપૂર,  બોબી દેઓલ અને કૃતિ સનોન આઇટમ આપવાના હતા. કરણ જોહર અને રિતેશ દેશમુખ સંચાલન કરવાના છે

(4:41 pm IST)