Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

મારો પુત્ર અર્જુન સારો અભિનેતા બનશે: જુહી ચાવલા

મુંબઈ: સિનિયર અભિનેત્રી જુહી ચાવલાએ કહ્યું હતું કે મારો પુત્ર અર્જુન એક સારો અભિનેતા બનવાની ઘણી ખાસિયતો ધરાવે છે એમ મને લાગે છે.'કોઇ પણ વ્યક્તિની જબરદસ્ત મિમિક્રી કરી શકે છે. અચ્છો નકલખોર છે. અન્યોને સહેલાઇથી હસાવી શકે છે. એના પરથી હું એવું માનતી થઇ છું કે અર્જુન સારો અભિનેતા બની શકવાની યોગ્યતા ધરાવે છે' એમ જુહીએ કહ્યું હતું.  અર્જુન લંડનની એક બોર્ડિંગ સ્કૂલમાં અભ્યાસ કરે છે. જો કે હાલ જુહી એની સાથે નથી. જુહી થોડો સમય કોલકાતા હતી, ત્યાર પહેલાં મુંબઇમાં હતી અને હવે સમય કાઢીને લંડન જશે. એણે સોશ્યલ મિડિયા પર પોતાના સંતાનોનાં રસરુચિ વિશે લખ્યું હતું.જુહીના શબ્દો પણ સરસ છે, 'મારા નાનકડા વાનર અર્જુને મને કહ્યંુ, મમ્મી, હમણાં કશું વિચારતાં નહીં. જાન્હવી (જુહીની નાની પુત્રી) શું કરશે એની મને જાણ નથી... પરંતુ બંદર માટે હું કીહ શકું છું... અર્જુન બધાંની નકલ બહુ સરસ રીતે કરે છે એટલે મને લાગે છે કે એનામાં અભિનેતા થવાના સારા ગુણ છે.... જાન્હવી ખૂબ અભ્યાસી અને પુસ્તકિયો કીડો છે...તમે એને પૂછો કે તને ભેટ રૃપે શું આપીએ તો કહેશે, પુસ્તકો આપો. એણે એક દિવસ મને કહ્યંુ કે  મારે લેખિકા બનવું છે...'જુહીએ છેલ્લે એક લડકી કો દેખા તો ફિલ્મ કરી હતી જેમાં રાજકુમાર રાવ, જુહી ચાવલા ઉપરાંત પહેલીવાર સોનમ કપૂર એના અભિનેતા પિતા અનિલ કપૂર સાથે રજૂ થઇ હતી. જો કે ફિલ્મને બોક્સ ઑફિસ પર ધાર્યો પ્રતિભાવ સાંપડયો નહોતો.

(5:18 pm IST)