Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

ઇચ્છાધારી નાગિન બનશે શ્રધ્ધા : ત્રણ ભાગમાં ફિલ્મ

બોલીવૂડ અને ટીવી પરદે જેટલી પણ ફિલ્મો અને શો નાગિનને લઇને આવ્યા છે તે મોટા ભાગે સફળ જ રહ્યા છે. નાગિનની કહાની અહિ વર્ષોથી ચાલી રહી છે. શ્રીદેવીને કારણે નાગિનનું પાત્ર વધુ જાણીતું બન્યું છે. હવે શ્રધ્ધા કપૂર પણ કંઇક આવું કરવા તૈયાર થઇ છે. શ્રધ્ધાએ થોડા સમય પહેલા કહ્યું હતું કે તે એક ફિલ્મમાં ઇચ્છાધારી નાગિનનો રોલ નિભાવવાની છે. હવે આ માટેની તૈયારીઓ થઇ રહી છે. શ્રધ્ધાના કહેવા મુજબ આ ફિલ્મનું શુટીંગ બહુ ઝડપથી શરૂ થવાનું છે. આ વર્ષે જ શુટીંગ પુરું પણ થઇ જશે તેવી આશા શ્રધ્ધાએ વ્યકત કરી છે. શ્રધ્ધાના કહેવા મુજબ આ ખુબ મોટો પ્રોજેકટ છે. આ કારણે શુટીંગ શરૂ થવામાં થોડો સમય લાગી રહ્યો છે. મને સતત શુભેચ્છાઓ મળી રહી છે આ રોલ માટે, આ કારણે મારી ચિંતા થોડી વધી ગઇ છે. કારણ કે હવે મારે એવું કામ કરવું પડશે કે જેનાથી કોઇ નિરાશ ન થાય. શ્રધ્ધાને નાગિન તરીકે રજૂ કરતી ફિલ્મનું નિર્દેશન વિશાલ ફુરીયા કરે છે. ફિલ્મ ત્રણ ભાગમાં રિલીઝ થશે.

(10:19 am IST)