Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

નિર્માતા રાજકુમાર બડજાત્યાનું નિધન

મુંબઇ:  'હમ આપકે હૈ કૌન, હમ સાથ-સાથ હૈ, અને વિવાહ જેવી કોટુંબિક ફિલ્મ બનાવનાર જાણીતા નિર્માતા રાજકુમાર બડજાત્યાનું આજે નિધન થયું છે. જેની જાણકારી રાજશ્રી પ્રોડકશને ટ્વિટ કરીને આપી હતી.રાજ કુમાર બડજાત્યાનું બોલીવૂડમાં યોગદાન ઘણુ ંરહ્યું છે. તેમણે 'પ્રેમ રતન ધન પાયો, હમઆપ કે હો કૌન અને મેં ને પ્યાર કિયા જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. તેમણે ૧૯૬૦ થી ૧૯૮૦ દરમિયાન ઘણી ફિલમોમાં સહ-નિર્માતા રહ્યા છે. તેમની છેલ્લી નિર્માણ ફિલ્મ કોમેડી ડ્રામા 'હમ ચાર' હતી. સલમાન ખાન બડજાત્યા પરિવારથી ઘણો નજીક છે. સલમાને આ પ્રોડકશનહાઉસ સાથે ૧૯૮૯માં કામ કરવાનું શરૂ કર્યુ ંહતું. હાલમાં જ સૂરજ બડજાત્યયાએ સલમાન સાથે ફરી એક ફિલ્મ કરવાની ઘોષણા કરી હતી.

 

(5:28 pm IST)