Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

મેકિનિકલ એન્જિનિયર પલ્લવી શુક્લા સાથે લગ્નના તાંતણે બંધાશે ગાયક અંકિત તિવારી

મુંબઈ:બોલીવુડના જાણીતા સિંગર અંકિત તિવારીએ સગાઈ કરી લીધી છે. આશિકી- ફિલ્મના સુન રહા હૈ ના તૂ જેવા ફેમસ ગીતોથી ચર્ચામાં આવેલ અંકિત તિવારીએ કાનપુરમાં મેકિનિકલ એન્જિનિયર પલ્લવી શુક્લા સાથે સગાઈ કરી છે. તેમજ શુક્રવારે તેના લગ્ન થવાના છે. 

 

અંકિતે પલ્લવી સાથેની પોતાની સગાઈની તસ્વીર ટ્વિટર પર શેર કરી છે. સાથે કેપ્શનમાં લખ્યુ છે કે આખી જિંદગી તને પ્રેમ કરીશ, તારૂ ધ્યાન રાખીશ અને તારૂ માન સાચવીશ. ૨૩ ફેબ્રુઆરીએ બન્નેના લગ્ન કાનપુરમાં થવાના છે. લગ્ન બાદ અંકિત પહેલા દિલ્હી, ચંદીગઢ અને કોલકત્તામાં કોન્સર્ટ કરશે. ત્યારબાદ તે મુંબઈમાં પોતાના મિત્રો સાથે રીસેપ્શન પાર્ટીનુ આયોજન કરશે. 
સૂત્રોના જણાવ્યા મુજબ, અંકિત માટે છોકરીને તેની દાદીએ શોધી છે. તેની દાદી ગત વર્ષે ઓક્ટોબરમાં દિલ્હી જઈ રહી હતી ત્યારે ટ્રેનમાં તેની મુલાકાત પલ્લવી સાથે થઈ હતી. પલ્લવીએ અંકિતની દાદીને ખૂબ પ્રભાવિત કર્યા હતા. જેથી તેમણે અંકિત સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો. પલ્લવી છેલ્લા ૧૦ વર્ષથી બેંગ્લુરૂમાં રહે છે અને લગ્ન બાદ તે મુંબઈ શિફ્ટ થઈ જશે.
 

 

(3:37 pm IST)