Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

બોની કપૂરની જાહેરાત: રણવીર અને અર્જુનને લઈને બનાવશે 'નો એન્ટ્રી'ની સિક્વલ

મુંબઈ: બોલીવુડના ફિલ્મકાર બોની કપૂર પોતાની સુપરહિટ ફિલ્મ નો એન્ટ્રીની સિક્વલમાં પોતાના પુત્ર અર્જુન કપૂર સાથે રણવીર સિંહને લેવાની જાહેરાત કરી છે. બોનીએ 13 વર્ષ પહેલા સલમાન ખાન, અનિલ કપૂર અને ફરદીન ખાનને લઈને નો એન્ટ્રી ફિલ્મ બનાવી હતી. ત્યાર બાદ સતત આ ફિલ્મના સિક્વલને લઈને ઘણી ચર્ચાઓ થઇ છે. બોની કપૂરે આ ફિલ્મના સિક્વલમાં બે યગ સ્ટારને લેવા માંગે છે અને તેથી સલમાનના પાત્ર માટે રણવીરને પસંદ કર્યો જયારે અનિલ  કપૂરના પાત્ર માટે અર્જુનની પસંદગી કરી છે. આ સિક્વલનું નામ નો એન્ટ્રી મેં એન્ટ્રી રાખવામાં આવશે.

(4:38 pm IST)