Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

ફિલ્મ પાગલપંતી વિજય માલ્યા અને નીરવ મોદીની યાદ અપાવશે : નિર્દેશકે કર્યો ખુલાસો

મુંબઈ : ફિલ્મ પાગલપંતીમાં કિંગફિશર એરલાઈન્સના માલિક વિજય માલ્યા અને નીરવ મોદીના ઉલ્લેખ જોવા મળશે આ વાત ફિલ્મના નિર્દેશક અનીસ બાઝમીએ કહીં છે.

   આ વિશે જણાવતા અનીસ બાઝમીએ કહ્યું એક ઈન્ટવ્યૂમાં જણાવ્યું કે આમ તો ઘણા લોકો દેશ છોડીને ભાગી ગયા છે. એટલે અમે એમના વિશે એક સંકેત આપ્યો છે જેમા લોકોને ફિલ્મ જોઈને વિજય માલ્યા અને નીરવ મોદીની યાદ તો જરૂર આવશે.

  આ વિશે આગળ વાત કરતા અનીસ બાઝમી કહે છે, આ એક ઘણો મોટો પડકાર હતો. દેશભક્તિ એક ગંભીર વિષય છે. જ્યારે મારી ફિલ્મની શૈલી આના વિરૂદ્ધ છે. આ ફિલ્મને બનાવવામાં મને ઘણો સમય લાગી ગયો. આ ફિલ્મનો સૌથી મહત્વપૂર્ણ સીન છે જે દરેક ભારતીયના રૂંવાટા ઊભા કરી દેશે. સાથે જ તમને હંસાવશે પણ. આ એક અલગ જ સીન છે. મને નથી લાગતું કે કોઈ અન્ય ફિલ્મમાં આવો સીન આવ્યો હોય.

(11:05 pm IST)