Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

30 નવેમ્બરના સુનાવણી થશે ફિલ્મ ઝીરોની

મુંબઈ: પહલાજ નિહલાનીની ફિલ્મ રંગીલા રાજા સેન્સર બોર્ડના વિવાદમાં અટવાઈ છે તો શાહરુખ ખાનની ફિલ્મ ઝીરો વિરુદ્ધ શીખોની ધાર્મિક લાગણી દુભાવવાના મામલે કોર્ટમાં અરજી કરવામાં આવી છે જેની સુનાવણી ૩૦ નવેમ્બરે હાથ ધરાશે. ફિલ્મમાં શાહરુખ ખાને કિરપાણ પહેરી શીખોની ધાર્મિક ભાવનાની મજાક ઉડાવી હોવાનું જણાવી અગાઉ દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરાયા બાદ હવે બોમ્બે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. અરજદાર અમૃતપાલસિંહ ખાલસાએ અરજીમાં જણાવ્યું હતું કે, નિર્માતા અમારા વિશ્વાસ અને ધાર્મિક લાગણીઓને સીન દ્વારા ઠેસ પહોંચાડી રહ્યા છે.

(5:49 pm IST)