Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

આવતા મહિને બંધ થઇ જશે શ્રેણુનો શો

સ્ટાર પ્લસનો શો એકભ્રમ સર્વગુણ સંપન્ન બંધ થઇ જશે તેવી ચર્ચા ખુબ ચાલી છે. આ શોને ટીઆરપી ચાર્ટમાં રેટીંગ ન મળતાં બંધ કરવામાં આવી રહ્યાની વાતો થઇ રહી છે. જો કે આ પહેલા પણ આ શોને બંધ કરી દેવામાં આવશે તેવી વાતો વહેથી થઇ હતી. પરંતુ શો ચાલુ જ રાખવામાં આવ્યો હતો. આ સિરિયલમાં જૈન ઇમામ અને શ્રેણુ પરિખ મુખ્ય રોલમાં છે. સિરીયલની શરૂઆત ખુબ જ શાનદાર રીતે કરવામાં આવી હતી. પરંતુ કહાની દર્શકોને આકર્ષવામાં સફળ રહી નથી. પ્રારંભે શોને સારી ટીઆરપી મળી હતી. પણ હવે સતત ટીઆરપીમાં ઘટાડો થયો છે. ૧૩ સપ્ટેમ્બરે આ શો બંધ કરી તેની જગ્યાએ બીજો શો શરૂ કરવામાં આવશે તેવી વાત સામે આવી છે. ગૂલ ખાનનો એક શો આવી રહ્યો છે. દર્શકોને ખેંચવા શોના પાત્રો જૈનના લૂકમાં બદલાવ કરાયો હતો, તો શ્રેણુના પાત્રને જ્હાન્વીમાંથી બદલીને પૂજા શર્મા કરી દેવાયું હતું. જો કે તેનો પ્રભાવ પડ્યો નહોતો.

 

(10:27 am IST)