Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

12 વર્ષ પછી સિલ્વર સ્ક્રીન પર સાથે જોવા મળશે અજય-સૈફ

મુંબઇ: અજય દેવગણ 'તાનાજી : અનસંગ વોરિયર ફિલ્મ બનાવી રહ્યો છે. જેમાં તે સુબેદાર તાનાજી માલુસરેના રોલમાં જોવા મળશે. ફિલ્મમાં અજયની સાથે નિર્માતા કાજોલન લેવાનો વિચાર કરી રહ્યા છે. ઉપરાંત નકારાત્મક રોલ ઉદયભાન રાઠોડના પાત્ર માટે સૈફ અલી ખાનને લેવાનો વિચાર કરી રહ્યા છે. જો બધુ સમુસુથરું પાર પડશે તો ફિલ્મમાં કાજોલઅજયની પત્નીના રોલમાં જોવા મળશે. ફિલ્મ અજય દેવગણના નિર્માણ હાઉસ હેઠળ બનવાની છે. ફિલ્મના નિર્માતાઓએ ફિલ્મના નકારાત્મક રોલ માટે સૈફઅલી ખાનનો સંપર્ક કર્યો હોવાની વાત છે. તાનાજીની ટીમને વિશ્વાસ છે કે, ફક્ત સૈફ અલી ખાન ઉદયભાન રાઠોરના પાત્ર માટે યોગ્ય છે. રાજપૂતઓફિસર ઉદયભાનને જય સિંહે નિમણૂક કર્યો હતો. ફિલ્મ દ્વારા ૧૬૭૦માં  સિંહગઢના યુદ્ધને દાખવવામાં ાવશે. જેમાં તાનાજી માલસુરે અને ઉદયભાન વચ્ચે યુદ્ધ થાય છે. ઉલ્લેખનીય છે કે, ૧૨ વરસ પહેલા રીલિઝ થયેલી ફિલ્મ ઓમકારા પછી ફરીએકવાર સૈફ અને અજયની જોડી રૃપેરી પડદે જોવા મળશે.

 

 

(1:33 pm IST)