Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

નાગિન અનિતા હવે કોમેડી પણ કરશે

ટીવી પરદે નાગિન-૩ શોએ પણ જમાવટ કરી દીધી છે. એકતા કપૂરનો આ શો શરૂ થતાની સાથે જ ટીઆરપીની દોડમાં ટોચ પર પહોચી ગયો છે. શોમાં નાગિનનું પાત્ર ભજવી રહેલી અનિતા હસનંદાનીને પણ દર્શકો ખુબ પસંદ કરી રહ્યા છે. અનિતા આ શોની સાથોસાથ કોમેડી શો 'કોમેડી સર્કસ'નો ભાગ પણ બની રહી છે. અનિતાએ સોશિયલ મિડીયા પર કહ્યું હતું કે મને ગર્વ છે કે હું કોમેડી સર્કસનો હિસ્સો છું, કારણ કે પાગલપંતી જરૂરી છે. આ શો ચાર વર્ષ પછી ફરીથી ટીવી પર આવી રહ્યો છે. આ વખતે શોનું નામ 'કોમેડી સર્કસ મહાબલી' રખાયું છે. અનિતા સાથે કરિશ્મા શર્મા, ધીરજ ધૂપર, તેજસ્વ્ી પ્રકાશ, મુબીન સોૈદાગર, પારિતોષ ત્રિપાઠી, સિધ્ધાર્થ શર્મા પણ હશે. જજ તરીને અર્ચના પૂરણસિંઘ અને સોહેલ ખાન જ રહેશે.

(9:05 am IST)