Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

સંજય દત્ત મુન્નાભાઇ સિરીઝના ત્રીજા ભાગથી જ બોલિવુડમાં કમબેક કરશે

મુંબઇઃ ફિલ્મ અભિનેતા સંજય દત્ત મુન્નાભાઇના નામની સિરીઝના ત્રીજા ભાગથી કમબેક કરશે. આપણા સંજુ બાબા એટલે કે સંજય દત્તની ધાંસૂ ફિલ્મ મુન્નાભાઈ એમબીબીએસઅને લગે રહો મુન્નાભાઈસુપરહિટ રહી હતી. હવે આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવવાની તૈયારીમાં છે. ફિલ્મ ડાયરેક્ટર રાજકુમાર હિરાનીએ આ અંગે જાહેરાત કરી હતી.

એક મેગેઝિનને આપેલા ઈન્ટર્વ્યુમાં રાજકુમાર હિરાનીએ કહ્યું હતું કે, ‘અમે મુન્નાભાઈની ત્રીજી ફિલ્મ બનાવવા માગીએ છીએ અને સ્ક્રિપ્ટ પણ તૈયાર જ હતી, પણ સ્ક્રિપ્ટ પહેલા બે ભાગ સાથે કનેક્ટેડ નહોતી. હવે મને કંઈક મળ્યું છે પણ તે લખવું બાકી છે.

બંને ફિલ્મોના કો-રાઈટર અભિજાત જોશીએ એક ન્યૂજ એજન્સીને આપેલા ઈન્ટર્વ્યુમાં જણાવ્યું હતું કે વાર્તા અગાઉની ફિલ્મ સાથે કનેક્ટ કરવી સૌથી અઘરું કામ હોય છે. અમે કંઈક એવી વસ્તુની શોધમાં છીએ જે લગે રહો મુન્નાભાઈના સ્ટાન્ડર્ડને મેચ કરી શકે. અમારી પાસે એક આઈડિયા છે જે એકદમ નવો છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ સંજુ બાબા ફિલ્મમુન્નાભાઈથી જ બોલીવુડમાં કમબેક કરવા માગતા હતા, પરંતુ રાજકુમાર હિરાનીએ પહેલાં તેમની બાયોપિક સંજૂબનાવી દીધી. ઉલ્લેખનીય છે કે સંજય દત્તની 4 ફિલ્મ આવનાર છે જેમાં સાહેબ બીવી ગેંગસ્ટર 3’, ‘ટોરબાજ’, ‘કલંકઅનેપાનીપતસામેલ છે.

હિરાનીએ એક ઈન્ટર્વ્યુ દરમિયાન સંજય દત્તના કમબેક સાથે જોડાયેલો એક કિસ્સો પણ જણાવ્યો હતો. એમણે કહ્યું કે, ‘એક વખત સંજય દત્ત અને આમિર ખાનની મુલાકાત થઈ. સંજય દત્તે આમિરને કહ્યું કે રાજુ મુન્નાભાઈ નથી લખી રહ્યા, મારી વાર્તા લખી રહ્યા છે. આના પર મજાકમાં આમિર ખાને જવાબ આપ્યો કે તમે રાજકુમારને તમારી સ્ટોરી જ શું કામ કહી? એમને તમારી સ્ટોરી વધુ રસપ્રદ લાગી હશે.

(7:22 pm IST)