Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

નાગિન-૩માં નાગના મોતનો બદલો લેશે ત્રણ નાગિન

કલર્સ ચેનલ પર દર્શકોનો ખુબ પસંદગીનો શો નાગિન-૩ ટુંક સમયમાં જ શરૂ થવાનો છે. એકતા કપૂરના ઓ શોના પોસ્ટર રિલીઝ થયા બાદ પ્રોમો પણ સામે આવી ગયો છે. આ શોમાં કરિશ્મા તન્ના અને અનિતા હસનંદાની મુખ્ય ભૂમિકામાં છે. આ બંને નાગિન એક જ છે, પણ તેના અનેક રૂપ જોવા મળશે. આ વખતે શોમાં નાગના રૂપમાં રજત ટોકસ જોવા મળશે. નાનકડા પ્રોમોમાં નાગિનનું ભયાનક રૂપ દેખાડાયું છે. જેમાં તે નાગના મોતનો બદલો લેવા આવતી દેખાડાઇ છે. આ વખતની કહાની અગાઉની કહાનીને આગળ વધારશે. નાગ-નાગિન પ્રેમ કરતાં હોય છે ત્યારે જ કેટલાક લોકો આવીને તેને અલગ કરી દે છે. એ પછી નાગિનનો બદલો શરૂ થાય છે. ચર્ચા છે કે કરિશ્મા, અનિતા ઉપરાંત ત્રીજી નાગિન સુરભી જ્યોતિ હશે.

(9:28 am IST)