Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

એ નિર્ણય ખુબ જ દુઃખ દર્દ આપનારો હોય છેઃ કિર્તી

કિર્તી કુલ્હારી અભિનય ક્ષેત્રે લગભગ એક દસકાથી વધુ સમયથી કામ કરી રહી છે. વર્ષ ૨૦૧૦માં ખિચડી-ધ મુવીમાં તેણે પરમિન્દરનો રોલ નિભાવ્યો હતો. એ પછી તેણે શૈતાન, સુપર સે ઉપર, જાલ, પિન્ક, ઇન્દૂ સરકાર, બ્લેકમેઇલન, ઉરી સહિતની ફિલ્મોમાં નોંધપાત્ર અભિનય કર્યો છે. ફોર મોર શોટ્સ પ્લીઝ, બાર્ડ ઓફ બ્લડ, ક્રિમીનલ  જસ્ટીસ જેવી વેબ સિરીઝે તેને વધુ ઓળખ આપી છે. કામની બાબતમાં સતત સફળ બની રહેલી આ અભિનેત્રી અંગત જિંદગીમાં  હાલ થોડી દુઃખી થઇ ગઇ હતી. તેનું લગ્ન જીવન ભાંગી ગયું છે. કિર્તીએ વર્ષ ૨૦૧૬ના જુન મહિનામાં સાહિલ સહગલ સાથે લગ્ન કર્યા હતાં. પરંતુ હવે બંને અલગ થઇ ગયા છે. કિર્તીએ સોશિલય સાઇટ પર લખ્યું હતું કે મેં અને મારા પતિએ અલગ થવાનો નિર્ણય લીધો છે. માત્ર કાગળ ઉપર નહિ સમગ્ર જિંદગી માટે. કોઇનાથી અલગ થવું એ નિર્ણય ખુબ મુશ્કેલ હોય છે. કારણ કે જ્યારે તમે બેમાંથી એક બનતા હો ત્યારે તો ખુશી વ્યકત કરનારા, પ્રેમ આપનારા અનેક લોકો હોય છે. પણ અલગ પડો ત્યારે કોઇ સાથે હોતું નથી. આ નિર્ણય હમેંશા દુઃખ દર્દ આપનારો હોય છે. કિર્તી અને સાહિલે વિજ્ઞાપનોમાં સાથે કામ કર્યુ હતું અને બંને વચ્ચે પ્રેમ થયો હતો.

(10:11 am IST)