Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

તૈમુરની દેખભાળને લઈને કરીના કપૂર ખાને આપ્યું જવાબ...

મુંબઇ:  મોખરાની અભિનેત્રી કરીના કપૂર ખાને કહ્યું હતું કે કોઇ પણ વ્યક્તિએ સંતાનના સુખચેન માટે બધું કરવું પડતું હોય છે. એટલે તમારો સવાલ સ્વાભાવિક છે તેમ અમારો જવાબ પણ સ્વાભાવિક છે.ફિલ્મ સર્જક ટીવી શો એન્કર અરબાઝ ખાનના ટીવી શોમાં મહેમાન તરીકે આવેલી કરીનાને અરબાઝે પૂછ્યું હતું કે તમારા પુત્ર તૈમૂરની આયાને તમે કોઇ અધિકારી કરતાં પણ વધુ પગાર આપી રહ્યાં છો એ વાત સાચી છે ?કરીનાએ શરૂમાં હળવો જવાબ આપતાં કહ્યું, તમને કોણે કહ્યું ? કયા ક્ષેત્રના અધિકારીની વાત કરો છો તમે એ હું જાણતી નથી. પરંતુ હા, તમારી વાત સાચી હોઇ શકે છે. સંતાનના સુખ ચેન માટે માણસ બધું કરતો હોય છે. તૈમૂર અમારો એકનો એક પુત્ર છે. હું અને સૈફ બંને પોતપોતાના કામમાં બીઝી રહેતાં હોઇએ છીએ. એ સંજોગોમાં તૈમૂરની પ્રત્યેક પણ સચવાઇ રહે એવી એની સર્વંટ જોઇએ. એ માટે અમે પૈસાની ચિંતા કરી નથી. અમે કમાઇએ છીએ એ કોને માટે કમાઇએ છીએ ? તમને મળેલી માહિતી સાચી છે. સંતાનની સારસંભાળ માટે અમે છૂટથી ખર્ચ કરી રહ્યાં છીએ. બાળક સુરક્ષિત અને સમજદાર હાથમાં હોય એનાથી વધુ મહત્ત્વની વાત બીજી શી હોઇ શકે ?

(5:19 pm IST)