Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

ભણશાલીના પ્રોજેકટની રાહ જોઇ રહ્યો છે અભિષેક

નિર્માતા નિર્દેશક સંજય લીલા ભણશાલી ઘણા સમયથી સાહિર લુધિયાનવીના જીવન પર ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહ્યા છે. આ ફિલ્મ માટે તેણે અભિષેક બચ્ચન સાથે મિટીંગ પણ કરી લીધી હતી. પણ બાદમાં ભણસાલીનો આ પ્રોજેકટ ખોરંભે પડી ગયો હતો. અભિષેકે કહ્યું હતું કે સાહિર લુધિયાનવીની બાયોપિક માટે સંજય લીલા ભણશાલીએ બે વર્ષ પહેલા મારી સાથે વાત કરી હતી. પણ પછી વાત આગળ વધી નહોતી. કદાચ એ તેમના બીજા પ્રોજેકટમાં વ્યસ્ત હતાં.

હવે હું ફરીથી તેમને પુછીશ કે આ ફિલ્મનું શું થયું? મને એ કહાની ખુબ પસંદ પડી હતી. હું આ ફિલ્મમાં કામ કરવા આતુર છું. લુધિયાનવીની બાયોપિકમાં   કામ કરવાની ઇચ્છા ઇરફાન ખાને પણ દર્શાવી હતી. તેણે કહ્યું હતું કે હું સાહિર સાહેબને પરદા પર ખુબસુરતી સાથે જીવંત કરી શકુ તેમ છું. ભણશાલીએ આ પ્રોજેકટ માટે દિપીકા પાદુકોણ અને પ્રિયંકા ચોપડા સાથે પણ વાત કરી હતી.

(9:58 am IST)