Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

ફરીવાર ચર્ચામાં આવ્યા મલાઈકા અને અર્જુન કપૂરના સંબંધો

મુંબઇ: મલયકા અરોરા અને અરબાઝ ખાન વચ્ચેના લગ્ન તૂટવાનું એક કારણ અર્જુન કપૂર પણ ગણાતો હતો. અર્જુન અને મલયકા વચ્ચે અફેયર ચાલવાની વાત ઘણા સમયથી ચર્ચામાં છે. બોનીએ પુત્રને કારકિર્દી ખાતર પુત્રને મલયકાથી દૂર રહેવાની ચેતવણી આપી છે પરંતુ અફેર હજી પણ ચાલીરહી હોવાની ચર્ચા છે. અર્જુન અને મલયકાએ જોકે કદી જાહેરમાં પોતાના સંબંધો વિશે હરફ પણ ઊચાર્યો નથી. સલમાન ખાન પણ કારણે અર્જુનથી નારાજ છે. જ્યારે પિતા બોનીએ તો પુત્રને મલયકાથી દૂર રહેવાની ચેતવણી પણ આપી છે. કહેવાય છે કે પછી,અર્જુન અને મલયકા જાહેરમાં નથી મળતા પરંતુ ખાનગીમાં સંબંધ ધરાવે છે અને ઘણી વખત મળતા હોય છેપહેલા તો વારંવાર અર્જુન કપૂરને મલયકાના ઘરથી બહાર નીકળતો જોવા મળતો હતો. જ્યારે બીજી બાજુ સલમાનના ગેલેક્સી અપાર્ટમેન્ટ બહાર અર્જુન માટે તો 'નો એન્ટ્રી જેવું બોર્ડ લગાડવામાં આવ્યું હોવાની વાત છે. અર્જુન અને મલયકાના સંબંધથી પિતા બોનીને ભારી ફટકો પડી રહ્યો છે. સલમાન ખાન બોનીની ફિલ્મોની સિકવલમાં કામ કરવા તૈયાર નથી.

(4:03 pm IST)