Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

ટીવી અભિનેત્રી કરિશ્માનો પણ સંજુમાં મહત્વનો રોલ

સંજુ ફિલ્મમાં અનેક કલાકારો છે. જેમાં ટીવી પરદાની જાણીતી અભિનેત્રી કરિશ્મા તન્ના પણ સામેલ છે. તેને આ ફિલ્મમાં મહત્વનો રોલ મળ્યો છે. એકતા કપૂરના શો નાગિન-૩માં નાગિન બનેલી કરિશ્માએ સંજુમાં માધુરી દિક્ષીતનું પાત્ર ભજવ્યું છે. સંજય દત્ત અને માધુરી દિક્ષીત એક સમયે નજીક હતાં. પણ ગેરકાયદેસર હથીયારના મામલામાં સંજય દત્ત ફસાતાં બંને એક બીજાથી દુર થઇ ગયા હતાં. ફિલ્મમાંથી માધુરી દિક્ષીતવાળા દ્રશ્યો હટાવી દેવામાં આવ્યા છે તેવી ચર્ચા હતાં. પણ હવે કહેવાય છે કે નિર્માતાએ એટલો હિસ્સો રાખ્યો છે જેના પર કોઇ વિવાદ ન થાય અને કોઇની લાગણીને ઠેંસ ન પહોંચે.  જો કે પોસ્ટરમાંકરિશ્મા કયાંય જોવા મળી નથી. આથી એવી ચર્ચા વહેતી થઇ હતી કે માધુરી વાળા દ્રશ્ય હટાવી દેવાયા છે.  કરિશ્મા ટ્રેલરમાં પણ જોવા મળી નથી.  આ ફિલ્મ ૨૯ જુનના રિલીઝ થશે. 

 

(9:58 am IST)