Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

"બાલિકા વધુ 2"માં શિવાંગી જોશી ભજવશે મોટી આનંદીની ભૂમિકા

મુંબઈ: શિવાંગી જોશી આ દિવસોમાં પોતાના વતન દેહરાદૂનમાં પરિવારના સભ્યો સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે. થોડા અઠવાડિયા પહેલા શિવાંગી જોશીએ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'ને અલવિદા કહ્યું હતું. શિવાંગી જોશીના ફેન્સ એ જાણવા માટે સતત ઉત્સુક છે કે હવે તે કયા શો દ્વારા તેમનું મનોરંજન કરશે? લોકો ઈચ્છે છે કે શિવાંગી જોશી જલદી સ્ક્રીન પર પરત આવે અને હવે અભિનેત્રીના ચાહકો માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. શિવાંગી જોશી ટૂંક સમયમાં જ સ્ક્રીન પર કમબેક કરવા માટે તૈયાર છે.

(5:43 pm IST)