Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

રણબીર કપૂર અને આલિયા ભટ્ટની રિલેશનશિપમાં ચાલી રહ્યા છે મતભેદ?

રણબીર કપૂર અને આલિયા ભટ્ટની રિલેશનશિપમાં મતભેદ હોવાની ચર્ચા ચાલી રહી છે. આલિયાએ હાલમાં જ કહ્યું છે કે લોકોએ તેનાં લગ્ન માટે રાહ જોવી પડશે અને બીજી બાજુ તેમની વચ્ચે મતભેદની વાતે જોર પકડયું છે. હાલમાં ઇન્ટરનેટ પર 'બ્રહ્માસ્ત્ર'ના સેટ પરનો એક ફોટામાં આલિયા ગુસ્સામાં દેખાય છે. જયારે રણબીર તેના મોબાઇલમાં વ્યસ્ત છે. જોકે તેમની વચ્ચે ખરેખર મતભેદ છે કે પછી શું એ તો સમય જ બતાવશે.

(11:29 am IST)