Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

‘ખતરો કે ખિલાડી-૯' ટીવી પરદે આવશે ૫મી જાન્‍યુઆરીએ

રિયાલીટી શો ખતરો કે ખિલાડી-૯ના  નિર્માતાઓએ જાહેર કરી દીધુ છે કે આ શો ટીવી પર ૫મી જાન્‍યુઆરી-૨૦૧૯ના રોજ ઓનએર થશે. આમ તો ખતરો કે ખિલાડી દર વર્ષે સપ્‍ટેમ્‍બર-ઓક્‍ટોબરમાં ચાલુ થઇ ગયો હોય છે. પણ બિગ બોસ-૧૨ને કારણે આ શોની તારીખોમાં ફેરફાર કરવો પડયો હતો. ખતરો કે ખિલાડી-૯નું શુટીંગ અર્જેન્‍ટિનામાં થયું છે.

આ શોમાં ભાગ લેનારા વિકાસ ગુપ્‍તા, એલી ગોનીએ તાજેતરમાં સોશિયલ મિડીયા પર શુટીંગના કેટલાક દ્રશ્‍યો પોસ્‍ટ કર્યા હતાં. વિકાસને શુટીંગ વખતે ઇજા પણ થઇ હતી. આ શોની ટેગ લાઇન આ વખતે ‘જિગર મેં ટ્રિગર' એવી રખાઇ છે. જૈન ઇમામ, અવિકા ગોૈર, શમિતા શેટ્ટી, ભારતી સિંહ, હર્ષ, પુનિત પાઠક, રિધીમા પંડિત, શ્રીસંત, જસમીમ અને આદિત્‍ય નારાયણ આ સિઝનમાં ભાગ લઇ રહ્યા છે. ગ્રાન્‍ડ ફિનાલેનું શુટીંગ હજુ બાકી છે.

(10:56 am IST)