Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

સની દેઓલને કારણે પુરી થઇ પ્રીતિની ઇચ્‍છા

બોલીવૂડની ડિમ્‍પલ ગર્લ પ્રીતિ ઝીંટા લાંબા સમય પછી ભૈયાજી સુપરહિટ ફિલ્‍મ થકી મોટા પરદે ફરી જોવા મળશે. પ્રીતિએ આ ફિલ્‍મના પોતાના પાત્ર બાબતે કહ્યું હતું કે શુટીંગ શરૂ થયું ત્‍યારે હું થોડી ચિંતીત હતી. ભલે ૩૮ ફિલ્‍મો કરી હોય, આમ છતાં આ અલગ પાત્રએ મને થોડી મુંજવી દીધી હતી. દેશી અને ગામડાની છોકરીનો રોલ કરવાની મારી ઘણા સમયથી ઇચ્‍છા હતી. આ ફિલ્‍મ થકી એ ઇચ્‍છા પુરી થઇ છે. અગાઉ કોઇએ આવા રોલ માટે મારા પર ભરોસો નહોતો દેખાડયો. કોઇએ વિચાર્યુ પણ નહોતું કે હું આવો રોલ નિભાવી શકું. ફિલ્‍મમાં હું ગામડાની ખુબ મજબુત અને પૈસાદાર પરિવારની કિદરીના રોલમાં છું. સની દેઓલે મને આ રોલ માટે પસંદ કરી હતી. હું સ્‍ક્રિપ્‍ટ વાંચીને જ હસી-હસીને લોટપોટ થઇ ગઇ હતી. ફિલ્‍માં સની દેઓલ વારાણસીના લાલભાઇ સાહેબ દુબેના રોલમાં છે. જે પોતે ડોન છે. મને તેની પત્‍નિનો રોલ મળ્‍યો છે. ફિલ્‍મ ૨૩મી નવેમ્‍બરે રિલીઝ થશે.

(10:55 am IST)