Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

સુપરહિટ મરાઠી નાટક અભિનય સમ્રાટમાંથી નાના પાટેકરની હકાલપટ્ટી : મોહન જોશીને મળ્યો રોલ

મુંબઈ: છેલ્લાં પાંત્રીસ ચાલીસ વર્ષથી એકધારા ચાલી રહેલા સુપરહિટ મરાઠી નાટક અભિનય સમ્રાટમાંથી નાના પાટેકરની હકાલપટ્ટી કરાઇ હોવાની  જાણકારી મળી હતી.અગાઉ આ રોલ  નાના પાટેકર જ કરતો હતો અને એ માટે એને બેસ્ટ એક્ટરનો એવોર્ડ સુદ્ધાં મળ્યો હતો. પરંતુ અભિનેત્રી તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર જાતીય કનડગતના આક્ષેપ મૂક્યા બાદ પરિસ્થિતિ બદલાઇ ગઇ હતી અને નાનાને પડતો મૂકીને મોહન જોશીને આ રોલ માટે પસંદ કરવામાં આવ્યો હતો. મરાઠી ભાષાના ટોચના કવિ નાટયકાર કુસુમાગ્રજ (સાચું નામ વી વી શિરવાડકર)ના આ નાટકમાં છેલ્લા ત્રણેક દાયકામાં ઘણા અભિનેતા બદલાયા હતા. મૂળ આ રોલ વરસો સુધી ડૉક્ટર શ્રીરામ લાગુએ કર્યો હતો. ત્યારબાદ વારાફરતી બીજા કલાકારોએ આ રોલ કર્યો. છેલ્લા થોડા સમયથી નાના પાટેકર આ રોલ કરતો હતો. એના અભિનયના પગલે આ નાટક સતત સુપરહિટ અને હાઉસફૂલ જતું હતું.  અત્યાર અગાઉ નાનાને સાજિદ નડિયાદવાલાની ફિલ્મ હાઉસફૂલ ફોરમાંથી પડતો મૂકવાની પણ વાત હતી. પાછળથી એ નિર્ણય બદલવામાં આવ્યો હતો અને નાનાએ જેટલા સીન ભજવ્યા હોય એ ફિલ્મમાં રાખી મૂકવાનો નિર્ણય લેવાયો હતો. નાનાએ ફિલ્મ અધવચ છોડી દીધી હતી. એની જેમ ફિલ્મના ડાયરેક્ટર સાજિદ ખાને પણ ફિલ્મ છોડી દેવી પડી હતી.

(5:18 pm IST)