Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

અક્ષય કુમાર પછી શાહરુખ ખાન આવ્યો કેરળ પૂરગ્રસ્તોનાં વહારે: કર્યું 21 લાખનું દાન

મુંબઈ: કેરળમાં પૂર આવવાથી પૂરગ્રસ્તોને મદદ કરવા રાજ્ય સરકાર મદદે આવી છે. પણ બોલીવુડની હસ્તીઓ આગળ આવી છે. અક્ષયકુમાર બાદ હવે શાહરૂખ ખાન પણ કેરળના પૂરગ્રસ્તોને દાન આપ્યું છે.મળેલી જાણકારી મુજબ શાહરૂખ ખાને મીર ફાઉન્ડેશન થકી ૨૧ લાખ રૂપિયા રાહત કોષમાં આપ્યા છે. શાહરૂખ ખાનના પિતાના નામ પર મીર ફાઉન્ડેશન વેલફર નામની સંસ્થા ઊભી કરી છે. સંસ્થા કેન્સરના દરદી અને એસિડથી  પીડિતોને મદદ કરે છે.

(3:37 pm IST)