Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

સગાઇ બાદ અનાથાશ્રમ પહોંચ્યા પ્રિયંકા અને નિક :બાળકો સાથે સમય કર્યો પસાર

મુંબઈ :બોલીવુડની અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને નિક જોનસે 18 ઓગસ્ટના રોજ સગાઈ કરી છે. સવારે રોકા સેરેમની અને સાંજે શાનદાર પાર્ટી કર્યા પછી પ્રિયંકા અને કેટલાક નજીકના લોકો બીજા દિવસે રવિવારે મુંબઈના એક અનાથાશ્રમમાં પહોંચ્યા હતાં

   અનાથાશ્રમ જઈ બાળકો સાથે સમય પસાર કરવાનો પ્રિયંકાનો વિચાર નિકને પસંદ આવતા તે પણ માતા-પિતા સાથે પહોંચ્યો હતો.

(11:57 am IST)