Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

નાગિન-૩માં થશે કરિશ્મા તન્નાની ફરીથી એન્ટ્રી

નાગિન સિરીઝના શો સતત હિટથયા છે. નાગિન-૩માં હવે કરિશ્મા તન્નાની ફરીથી એન્ટ્રી થવાની છે. ટીવી પરદાની હોટ અને ખુબ જાણીતી અભિનેત્રી કરિશ્મા હાલમાં કયામત કી રાત નામના શોમાં મુખ્ય રોલ નિભાવી રહી છે. નાગિન-૩ની શરૂઆતમાં કરિશ્મા જોવા મળી હતી. પણ હવે કરિશ્માને ખાસ એન્ટ્રી આપવાની તૈયારી થઇ રહી છે. હાલમાં આ શોમાં સુરભી જ્યોતિ મુખ્ય રોલમાં જોવા મળી રહી છે. કરિશ્મા ફરીથી આ શો સાથે જોડાવા તૈયારી કરી રહી છે. આઇપીએલના મેચ વખતે શોમાં ઘણા ફેરફાર થવાના છે. જે કારણે કરિશ્માની રી-એન્ટ્રી કરવાનું નક્કી કરાયું છે. નિર્માતાઓે કરિશ્મા સાથે વાત કરી છે. તેણે પણ આ વાતની પુષ્ટી કરી છે. તે આ શોમાં કમબેક કરીને ખુશ છે. કરિશ્માનું પાત્ર બેલા અને વિષ સાથે મળી દૂશ્મનોનો ખાત્મો બોલાવતું જોવા મળી શકે તેમ છે. કરિશ્માએ તાજેતરમાં પાંત્રિસમો જન્મદિવસ ઉજવ્યો હતો.

 

(9:44 am IST)