Gujarati News

Gujarati News

News of Wednesday, 19th December 2018

વાહ...કપ્પુ ભૈયા....લગ્નમાં વધેલું જમવાનું ગરીબોને વહેચ્યું

મુંબઈ:કપિલ શર્મા અને ગીની ચતરતની ૧૨ ડિસેમ્બરે જાલંધરમાં લગ્ન થયા હતા. એ પછી ૧૩ ડિસેમ્બરે એક રિસેપ્શન કરવામાં આવ્યું હતું. જેમાં વધેલા ભોજનને અમૃતસર અને આજુબાજુના વિસ્તારોમાં વસતા જરૂરિયાતમંદોમાં વહંેચવામાં આવ્યું હતું. સોશિયલ કોઝ નામની એક એનજીઓ દ્વારા કપિલ શર્માનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે અમારા લગ્નમાં મોટે પાયે ભોજન બચશે જે તમે અમને આપી દો જે અમે ગરીબોમાં વહેંચી દેશું. એનજીઓના સ્થાપકે જણાવ્યું હતું કે, કપિલના આ પગલાંથી લોકોને ભોજન વેડફવાને બદલે વધેલા ભોજનનું દાન કરવાની પ્રેરણા મળશે.

(5:42 pm IST)