Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

બોલિવુડ સ્ટાર કાર્તિક આર્યન અને સારા અલી ખાને તેમની કમિટમેન્‍ટસ અને એકસાથે ક્વોલિટી ટાઇમ સાથે ન વિતાવવાના સંઘર્ષના કારણે અંતર રાખવાનું નક્કી કર્યું

નવી દિલ્હી: બોલીવુડ સ્ટાર કાર્તિક આર્યન  અને સારા અલી ખાનના બ્રેકઅપના સામાચાર સામે આવ્યા હતા. આ સમાચારોના સામે આવ્યા બાદ સિને પ્રેમીઓને ઘણો શોક પણ લાગ્યો હતો. પરંતુ અત્યારે તેમના બ્રેકઅપનું કારણ સામે આવ્યું છે. તે જાણ્યા પછી તેના ચાહકો વધુ આશ્ચર્ય પામવાના છે. મીડિયા રિપોર્ટ્સમાં સારા અલી ખાન અને કાર્તિક આર્યનના બ્રેકપની જાણકારી તેમના ચાહકોનું દિલ તોડવા જઇ રહ્યું છે.

ઇટાઈમ્સના અહેવાલમાં જણાવ્યા અનુસાર, બંનેએ તેમની કમિટમેન્ટ્સ અને એક સાથે ક્વોલિટી ટાઇમ સાથે ન વિતાવવાના સંઘર્ષને કારણે અંતર બનાવવાનું નક્કી કર્યું છે. જોકે રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે બંનેનું બ્રેકઅપ ખૂબ જ શિષ્ટાચાર અને સમજદારીપૂર્વક થયું છે અને બંનેએ એક મેચ્યોર નિર્ણય લીધો છે. એટલું જ નહીં, બ્રેકઅપ થયા પછી પણ બંને વચ્ચે કોઈ ઝઘડો નથી અને બંનેએ હજી વધુ મિત્રતા રાખવાનું નક્કી કર્યું છે. રિપોર્ટમાં સૂત્રોના અહેવાલના આધારે આ જાણકારી આપી છે.

રિપોર્ટ પ્રમાણે પાપારાઝીના વારંવાર ક્લિકથી બંને ઘણી વાર પરેશાન હતા અને તે બંને હંમેશા લાઈમલાઇટમાં રહેવાના પ્રેશરને સમજી ગયા હતા. એટલું જ નહીં, તેમની સગાઈના સમાચાર પણ બહાર આવ્યાં હતાં. આથી જ બંનેએ એકબીજાથી બ્રેકઅપ લેવાનું નક્કી કર્યું છે. આ સિવાય બંનેએ આ સમયે પોતાની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવાનું પણ નક્કી કર્યું છે. બંને સ્ટાર્સ હાલમાં જ પોતાની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે અને તેથી જ તેઓએ એક બીજાથી દૂર રહેવાનું નક્કી કર્યું છે.

જો કે, ટૂંક સમયમાં જ તે બંને ઇમ્તિયાઝ અલીની ફિલ્મ આજ કાલમાં પડદા પર દેખાવાના છે. આ ફિલ્મનો પ્રમોશન પણ થોડા દિવસોમાં શરૂ થવાની છે. આવી સ્થિતિમાં, તે બંને પોતાની ફિલ્મના પ્રમોશન માટે ફરી એક સાથે આવી રહ્યા છે, પરંતુ અત્યારે, તેઓ લવ બોડીના અફેરથી દૂર રહેવાનો સંકલ્પબદ્ધ છે.

(4:30 pm IST)