Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

તો પાઇલોટ હોત રામ યશવર્ધન

ટીવી શો 'એક થી રાની એક થા રાવણ'માં મુખ્ય રોલ નિભાવી રહેલો રામ યશવર્ધન પોતાના અભિનય થકી દર્શકોમાં જાણીતો બન્યો છે. તેણે કહ્યું હતું કે જો હું અભિનેતા ન હોત તો પાઇલોટ જરૂર બન્યો હોત. રામ યશવર્ધન કહે છે મારા માતા-પિતા પહેલેથી જ એવું ઇચ્છતા હતાં કે હું પાઇલોટ બનું. પિતા ખુદ એ ફિલ્ડમાં હતાં. પરંતુ મને પહેલેથી જ અભિનય પ્રત્યે આકર્ષણ હતું. મેં અભિનય ક્ષેત્રે આવતા પહેલા પાઇલોટની ટ્રેનિંગ લીધી હતી અને પરિક્ષા પણ આપી હતી. પણ રિઝલ્ટ આવે એ પહેલા એકટીંગ સ્કૂલમાં જોડાઇ ગયો હતો. આજે મને ટીવી પરદે જોઇને માતા-પિતા બંને ખુશ થાય છે.  હું ખુશ છું કે મને પસંદગીનું ફિલ્ડ મળ્યું છે, આજે હું જેટલો ખુશ છું એટલો કદાચ કદી ન હોત. તે કહે છે દર્શકોને હું અલગ-અલગ પાત્રોથી સતત ખુશ કરતો રહીશ.

(10:02 am IST)