Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

જુહી અને સચીન થઇ જશે અલગ

ટીવી સિરીયલ 'કુમકુમ' થકી જાણીતી બનેલી જુહી પરમાર અને શ્રીકૃષ્ણની ભૂમિકા નિભાવી ચુકેલા અભિનેતા સચીન શ્રોફ છુટાછેડા લઇ રહ્યાની વાતો વચ્ચે હવે એ સ્પષ્ટ થઇ ગયું છે કે આ બંને ૨૫મી જુનના રોજ અલગ થઇ જશે. સચીને કહ્યું હતું કે જુહીનો ગુસ્સો તેને પસંદ નથી, તે ખુબ જલ્દીથી ગુસ્સે થઇ જાય છે. હું તેનાથી તદ્દન અલગ છું. ઉલ્લેખનિય છે કે જુહી અને સચીન લાંબા સમયથી અલગ રહે છે. એક ટીવી શોમાં આ બંનેની મુલાકાત થઇ હતી અને પહેલી મુલાકાતના પાંચ મહિના બાદ બંનેએ ૧૫ ફેબ્રુઆરી ૨૦૦૯માં લગ્ન કરી લીધા હતાં. તેને પાંચ વર્ષની એક પુત્રી પણ છે. જેનું નામ સમાયરા છે. લગ્નના આઠ વર્ષ બાદ બંને અલગ થઇ રહ્યા છે.

(9:43 am IST)