Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

મ્યુઝિશ્યનનું પાત્ર ભજવવું મારા માટે મુશ્કેલ છે: આયુષ્માન ખુરાના

મુંબઈ: આયુષમાન ખુરાનાએ ઘણાં ગીતો ગાયાં છે, પરંતુ તેની આગામી ફિલ્મમાં જોઈ ન શકતા મ્યુઝિશ્યનનું પાત્ર ભજવવું તેના માટે ખૂબ જ મુશ્કેલ છે. ‘બદલાપુર’ના ડિરેક્ટર શ્રીરામ રાઘવનની આગામી ફિલ્મમાં તે કામ કરી રહ્યો છે. આ વિશે વધુ જણાવતાં આયુષમાને કહ્યું હતું કે ‘આ પાત્ર ભજવવું સરળ નથી. મને મ્યુઝિકની સમજ છે. હું ગિટાર પણ વગાડી શકું છું, પરંતુ પિયાનો વગાડતાં શીખવું ખૂબ જ મુશ્કેલ છે. એ માટે મેં ઘણો સમય ફાળવ્યો છે. શ્રીરામસર તેમના ઍક્ટર પાસેથી ઘણી ડિમાન્ડ કરે છે. તેઓ તમને પરિસ્થિતિની માહિતી આપે છે અને ત્યાર બાદ એના પર તમારે પોતાની રીતે રીઍક્ટ કરવાનું હોય છે. હું થિયેટરનું બૅકગ્રાઉન્ડ ધરાવતો હોવાથી મને ખૂબ જ મજા આવી હતી. હું આ ફિલ્મમાં પહેલી વાર આવું પાત્ર ભજવી રહ્યો હોવાથી એ ખૂબ જ મુશ્કેલ હતું.’

(5:51 pm IST)