Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

મીડિયામાં સામે આવી રહેલી લગ્નની વાત એન્ટરટેઇનમેન્ટથી વધુ કંઇ નથીઃ આલિયા ભટ્ટે લગ્ન મુદ્દે મૌન તોડતા રણવીર કપૂરના ચહેરાનો રંગ ઊડી જશે

નવી દિલ્હી : બોલીવુડ સ્ટાર રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પોતાના કામને લીધે નહીં પરંતુ પોતાના સંબંધોને લઇને છાશવારે ચર્ચામાં રહે છે. વારે વારે એમના લગ્નની વાતો સામે આવે છે. ક્યારેક બંનેના લગ્નની તારીખ પણ જાહેર કરી દેવાય છે તો લગ્ન સ્થળ અંગેની અફવાનું બજાર ગરમ થઇ જાય છે. જોકે હજુ સુધી આ બંનેએ ક્યારેય આ અંગે કોઇ ફોડ પાડ્યો નથી.

જોકે હાલમાં જ આલિયા ભટ્ટે લગ્ન અંગે એવી વાત કરી છે કે રણબીર કપૂરના ચહેરાનો રંગ ઉડી જાય. આલિયાએ લગ્ન અંગે મૌન તોડ્યું છે. આલિયાએ એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, મીડિયામાં સામે આવી રહેલી લગ્નની વાતે એન્ટરટેઇનમેન્ટથી વધુ કંઇ નથી. આ વાતો એમના માટે માત્ર એન્ટરટેઇન્મેન્ટ જ છે. રોજ નવી નવી વાતો સામે આવે છે.

આ ઇન્ટરવ્યૂમાં આલિયાએ એ અફવાઓને છેદ ઉડાવી દીધો કે જેમાં કહેવાતું હતું કે, એમના લગ્નની તૈયારીઓ ચાલી રહી છે અને કપૂર પરિવારના સંબંધીઓને આમંત્રણ પણ મોકલી દેવાયા છે. જોકે આલિયાના આ જવાબ પર કેટલાક લોકો સવાલ પણ ઉઠાવી રહ્યા છે. તેણે સીધી રીતે આ સવાલનો જવાબ આપવાને બદલે સીધું જ એન્ટરટેઇમેન્ટ કેમ કહ્યું?

તમને જણાવી દઇએ કે કેટલાક દિવસો પહેલા એક સમાચાર આવ્યા હતા કે ઋષિ કપૂર અને નીતુ કપૂર લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત છે. તેઓ ઇચ્છી રહ્યા છે કે આ લગ્નની વિધિ કૃષ્ણારાજ પ્રોપર્ટીમાં થાય અને એટલા માટે અહીં રિનોવેશનની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. કૃષ્ણારાજ પ્રોપર્ટીનું રિનોવેશનનું કામ પણ પૂર્ણ થવા આવ્યું છે. આ સંજોગોમાં આલિયા ભટ્ટે આપેલા આ નિવેદનથી રણબીર કપૂરની ઉંઘ ઉડી જાય એવું છે કે લગ્નની વાતો મજાક સમાન માત્ર મનોરંજક જ છે.

(4:27 pm IST)